રાજ્ય સરકારે સિરામીક ઉદ્યોગકારો માટે કરી મોટી જાહેરાત
BY Connect Gujarat8 Sep 2020 9:44 AM GMT
X
Connect Gujarat8 Sep 2020 9:44 AM GMT
ગુજરાતનો સિરામીક ઉદ્યોગ વિશ્વ કક્ષાએ છે. પરંતુ સમગ્ર દેશમાં આ કોરોનાની મહામારીના કારણે પડી ભાંગેલા ઉદ્યોગને ફરી બેઠા કરવા માટે ગુજરાત સરકારે ગેસ બિલમાં 16 ટકાની રાહત આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.
સિરામીક ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર ગેસ દ્વારા અપાતા બીલમાં રાહત મળશે. મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠાનાં ઉદ્યોગકારોને રાહત. ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા ગેસનાં બિલમાં મળશે રાહત. ગેસ બિલમાં પ્રતિ SCM રૂ.2.50 વધારાની રાહત મળશે. ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગેસ બિલમાં રૂ.2.50ની રાહતનો લેવાયો નિર્ણય.
Next Story