Connect Gujarat
દેશ

દેશની રાજધાની દિલ્હીમાં દેશ વિરુદ્ધ ઘડાઈ રહ્યું છે કાવતરું : કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ

દેશની રાજધાની દિલ્હીમાં દેશ વિરુદ્ધ ઘડાઈ રહ્યું છે કાવતરું : કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ
X

દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સુધારણા

કાયદા CAA વિરુદ્ધ

ઘણા લાંબા સમયથી પ્રદર્શન થઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનનો એક કથિત વીડિયો ભાજપ નેતા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે તેમના

ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, આ શાહીન બાગ

હવે માત્ર એક આંદોલન નથી. હવે આ સુસાઈડ બોમ્બરનું જૂથ બની રહ્યું છે.

https://twitter.com/girirajsinghbjp/status/1225268618683772928?s=20

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી

ગિરિરાજ સિંહે હાલમાં જ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધતા જણાવ્યું

હતું કે, ઓવૈસી જેવા લોકો જામિયા અને એએમયુ જેવી યુનિવર્સિટીમાં ઝેર ફેલાવીને

દેશદ્રોહીઓની સેના તૈયાર કરી રહ્યા છે. ઓવૈસી અને તેમના જેવા અન્ય બંધારણ

વિરોધીઓને રોકવા પડશે. ભારતના

નાગરિકો હવે જાગૃત બની ગયા છે.

Next Story