ઉલ્લાસ અને ઉમંગો ના પર્વ મકારસંક્રાતિ પર્વ ની હર્ષોલ્લાસભેર ઉજવણી અંકલેશ્વર પંથક માં થઈ હતી.
BY Connect Gujarat14 Jan 2019 5:58 AM GMT
X
Connect Gujarat14 Jan 2019 5:58 AM GMT
અંકલેશ્વર માં મકરસંક્રાતિ પર્વ ની સવાર થીજ વિવિધ મંદિરો માં દર્શનાર્થે શ્રદ્ધાળુ ઓની લાંબી લાંબી કતારો લાગી હતી. અંકલેશ્વર માં રામકુંડ, મારકન્ડેશવર મંદિર સાંઈ મંદિર સહિત અનેક મંદિરો માં લોકો એ શ્રદ્ધા પૂર્વક દર્શન કર્યા હતા, તેમજ સંક્રાંત પર્વ માટે આર્શીવાદ માંગ્યા હતા
[gallery td_select_gallery_slide="slide" size="large" ids="80896,80897,80898,80899"]
મકારસંક્રાતિ પર્વ દાન નું પર્વ મનાય છે.આ દિવસે અન્ન નું દાન શ્રેષ્ઠ ગણાય છે. અનેક લોકો એ મંદિરો તેમજ સેવાભાવી સંસ્થાઓ ને અન્ન નું દાન કર્યું હતું તેમજ ધન્યતા ની લાગણી અનુભવી હતી.
આ ઉપરાંત આ પર્વ નિમિત્તે ગાય તેમજ મૂંગા પશુઓ ને ખીચડો ખવડાવવાનું મહત્વ હોય છે. લોકો એ રામકુંડ સ્થિત ગૌશાળા માં ગાયો ને ખળ ખવડાવી અહોભાવ વ્યક્ત કર્યો હતો.
Next Story