Connect Gujarat
દેશ

યુવીએ દિલ્હી સરકારને કરી મદદ, N- 95 માસ્ક ઉપલબ્ધ કરાવ્યાં

યુવીએ દિલ્હી સરકારને કરી મદદ, N- 95 માસ્ક ઉપલબ્ધ કરાવ્યાં
X

પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહે કોરોના વાઇરસ સામે લડવા માટે દિલ્હી સરકારને મદદનો હાથ લંબાવ્યો છે. યુવરાજે દિલ્હી સરકારને મોટી સંખ્યામાં એન -95 માસ્ક પૂરા પાડ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મુશ્કેલ સમયમાં આ સહયોગ માટે યુવરાજસિંહનો આભાર માન્યો છે.

આ ઉપરાંત યુવરાજ સિંહની કેન્સર સામેની જીત આજના યુગમાં દરેક માટે પ્રેરણાદાયક હોવાનું કહેવાતું હતું. યુવરાજ અને તેની સંસ્થાએ 15,000 એન-95 માસ્ક દિલ્હી સરકારને ઉપલબ્ધ કરાવ્યા છે. આ એન-95 માસ્ક વિવિધ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર કરનારા ડોકટરો અને નર્સોના ઉપયોગ માટે છે.

https://twitter.com/ArvindKejriwal/status/1251469649360773123

દિલ્હી સરકારે અગાઉ કહ્યું હતું કે, તબીબી કામદારોને સુરક્ષા પૂરી પાડવા માટે પી.પી.ઇ કીટનો અભાવ છે. દિલ્હી સરકારે મેડિકલ સ્ટાફની સલામતી માટે પીપીઈ કીટ પૂરી પાડવા કેન્દ્ર સરકાર પાસે માંગ પણ કરી હતી.

દિલ્હી સરકારને આ મદદ કરતા યુવરાજસિંહે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, "આરોગ્ય કેર પ્રોફેશન કોરોના વાઇરસ સામેની લડતમાં આપણા સાચા હીરો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને આ સમર્થન આપવા માટે હુ ગર્વ અનુભવું છું. "

આ સહકાર બદલ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે યુવરાજસિંહનો આભાર માન્યો છે. મુખ્ય પ્રધાનેએ ટ્વીટ કર્યું, "યુવરાજ દિલ્હી તમારા ઉદાર સમર્થન માટે ખૂબ આભારી છે." કેજરીવાલે યુવરાજ સિંહને કહ્યું, "કેન્સર સામે તમારી જીત પ્રેરણાદાયક છે, ખાસ કરીને આજના સમયમાં."

Next Story