વડોદરા : તરસવા ગામે મકાનમાં લાગી અચાનક આગ, 6 વર્ષીય બાળકનું મોત
BY Connect Gujarat8 March 2021 4:44 PM GMT
X
Connect Gujarat8 March 2021 4:44 PM GMT
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે મકાનમાં આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં સ્થાનિકોએ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.
જોકે આગ લાગી ત્યારે મકાનમાં બે બાળકો હોવાથી પરિવારના સભ્યો ભારે ચિંતામાં મૂકાઇ ગયા હતા, ત્યારે બે પૈકી એક બાળક સમયસર માકાનમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય 6 વર્ષીય એક બાળકનું આગમાં ભડથું થઇ જતા મોત નીપજયું હતું. તો બીજી તરફ વાઘોડિયા પોલીસ, ફાયર ફાઇટરો અને એમ્બ્યુલન્સ સમયસર નહીં પહોંચતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
Next Story