Connect Gujarat
ગુજરાત

વડોદરા : પાદરાના વડુ નજીક આવેલ જૈન ઇરીગ્રેશન કંપનીમાં ભીષણ આગ

વડોદરા : પાદરાના વડુ નજીક આવેલ જૈન ઇરીગ્રેશન કંપનીમાં ભીષણ આગ
X

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ ધોબીકુવા ગામ પાસે હાઇવે પરની જૈન ફાર્મ ફ્રેશ ફૂડ લિમિટેડ કંપનીમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો.

પાદરા તાલુકાનાં વડુ ગામ નજીક પાદરા જંબુસર હાઇવે પરની જૈન ઇરીગ્રેશન કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી મુજબ જૈન ફાર્મ ફ્રેશ ફૂડ લિમિટેડ નામની કંપનીના જૈન ઇરીગ્રેશન યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે તરત જ ભયંકર સ્વરૂપ લેતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કંપનીમાં ડુંગળીના પાવડરનું પ્રોડકશન થાય છે. આગને પગલે કંપની બહાર વાહન ચાલકો તેમજ લોકટોળા જામી ગયા હતા. આગની જાણ નજીકના પાદરા ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાને પગલે પાદરા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગ ક્યાં કારણોસર લાગી અને કેટલું નુકશાન પહોંચ્યું છે તેમજ કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ કોઈ માહિતી સાંપડી નથી.

Next Story