Connect Gujarat
Featured

વડોદરા : કંડારી ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો

વડોદરા : કંડારી ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો
X

હાલ રાજ્યભરમાં આયોજિત વન મહોત્સવના ભાગરુપે ઠેર ઠેર વૃક્ષા રોપણ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત શુક્રવારના રોજ ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરજણ તાલુકાના કંડારી સ્થિત ગુરુકુલ ખાતે ૭૧ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

જેમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા (સોટ્ટા), વાઘોડીયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ,કરજણ શિનોર પોરના પુર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા સમાહર્તા, જિલ્લા વિકાસ અધિકારી, ડી.એફ.ઓ શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તિ બેન ભટ્ટ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલુભાજી ચુડાસમા અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહયા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ તાલુકાના પુરગ્રસ્ત ગામો માટે મશીનવાળી નાવડીનું લોકાર્પણ કર્યુ હતુ. ગૃહમંત્રીએ નાવડીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું...

Next Story