Connect Gujarat
ગુજરાત

વડોદરા : નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજનું પ્રવચન યોજાયું

વડોદરા : નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજનું પ્રવચન યોજાયું
X

નિરંકારી સદગુરુ માતાજીની પાવન પધરામણી ગુજરાતમાં થઇ છે. તેમના સાનિધ્યમાં વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજાઇ રહયાં છે. સંસ્કારી નગરી વડોદરામાં તેમના સાનિધ્યમાં સંત સમાગમનો કાર્યક્રમ યોજાયો હતો. કીર્તિ સ્થભ પાસે પોલો ગ્રાઉન્ડ પર આયોજીત કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. માનવમાં આધ્યાત્મિકતા જાગૃત થાય ત્યારે જ ઈશ્વર પ્રત્યે શ્રધ્ધાનો ઉદય થાય અને આખા વિશ્વમાં અમન, શાંતિ અને ભાઈચારો બની રહે તેવો સંદેશો લોકો સુધી પહોંચડવા માટે સદગુરુ માતાજી વિવિધ શહેરોમાં ભ્રમણ કરી પ્રવચન આપી રહયાં છે.

Next Story