વડોદરામાં પોલીસ ચોકીમાં જ સર્વિસ રિવોલ્વરથી PSIની આત્મહત્યા
BY Connect Gujarat16 Sep 2018 6:49 AM GMT
X
Connect Gujarat16 Sep 2018 6:49 AM GMT
'PSIની નોકરી થાય તેમ નથી, મને માફ કરશો' લખેલી સુસાઇડ નોટ મળી
તાજેતરમાં જ ડેપ્યુટેશન પર થઇ હતી બદલી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.એસ.જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. જેને પગલે વડોદરા પોલીસમાં દોડધામ મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પીએસઆઇના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પીએસઆઇએ લખ્યું છે કે, PSIની નોકરી થાય તેમ નથી, મને માફ કરશો.
Next Story