Connect Gujarat
વડોદરા 

ક્રોધિત થયેલ ભીમે ગદા મૂકતાં જ વડોદરામાં પ્રગટ થયું હતું શિવલિંગ, આજે પણ છે તેના નિશાન, જાણો રોચક કથા..!

નવનાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર ખુબ જ પૌરાણિક અને ઐતિહાસિક માનવામાં આવે છે.

ક્રોધિત થયેલ ભીમે ગદા મૂકતાં જ વડોદરામાં પ્રગટ થયું હતું શિવલિંગ, આજે પણ છે તેના નિશાન, જાણો રોચક કથા..!
X

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ભીમનાથ રોડ પર આવેલ નવનાથ મહાદેવ મંદિરે વર્ષો પહેલા ભીમે ગદા મૂકતાં જ પ્રગટ થયેલ શિવલિંગના નિશાન આજે પણ હયાત જોવા મળે છે, ત્યારે મજાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અહી વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જામી હતી.

વડોદરા શહેર એ સંસ્કારી નગરી, કલા નગરી સાથે ઐતિહાસિક નગરી તરીકે પણ જાણીતું છે. કારણ કે, આ શહેર ઐતિહાસિક સ્થળો સાથે સંકળાયેલ શહેર છે. વડોદરામાં આવેલ નવનાથ મહાદેવ માટે શહેર પ્રસિદ્ધ માનવામાં આવે છે. આ નવનાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર ખુબ જ પૌરાણિક અને ઐતિહાસિક માનવામાં આવે છે. આ મંદિર સયાજીગંજમાં ભીમનાથ રોડ નામનો રસ્તો આવેલો છે. તે રસ્તાની જોડે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ભીમની ગદા દ્વારા પ્રગટ થયેલા શિવલિંગ પ્રગટ થયું હોવાથી આ મંદિર ભીમનાથ મહાદેવ તરીકે વિખ્યાત થયુ છે, જ્યારે પાંડવોને વનવાસ આપવામાં આવ્યો હતો.

અને અંતિમ ક્ષણે અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતા. આ સમયે કોઈ પણ નગરમાં એક રાત્રિથી વધુ સમય તેઓ રહી શકે તેમ ન હતા, ત્યારે તેઓ આ સ્થળે આવ્યા હતા અને રાત્રી દરમ્યાન ભોજન બનાવવામાં આવ્યું હતું. ભોજન જમતા પહેલા ભીમને પ્રતિજ્ઞા હતી કે, શિવજીના શિવલિંગની પૂજા કાર્ય શિવાય ભોજન ન લેવું. આ વિસ્તાર ગાઢ જંગલ હતો, જેથી કોઈ શિવલિંગ ઉપલબ્ધ ન હતી. આ જોઈ અર્જુને હોશિયારી વાપરી માટીના માટલાને આકાર આપીને શિવલિંગ બનાવ્યુ હતું. ત્યારબાદ ભીમને પૂજા કરવા કહ્યું, અને ભીમ પોતે ભોળા હોવાના કારણે તેઓએ આ માટીના માટલાની પૂજા કરી લીધી હતી. ત્યારબાદ તમામે ભોજન ગ્રહણ કર્યું હતું.

આરામ કક્ષમાં બેઠા બાદ બધા જ હસવા લાગ્યા હતા. જેથી ભીમે પૂછ્યું કે, શા માટે હસો છો. તો અર્જુને જવાબ આપ્યો કે, અમે પણ ભોજન કરી શકીએ તે માટે યુક્તિ વિચારી તમને શિવલિંગની પૂજા કરાવી હતી. તે શિવલિંગ નહીં પરંતુ માટીની હાલડી છે. તે સાંભળતા જ ગદાધારી ભીમે પોતાની ગદા ઉચકી ક્રોધિત થયા હતા. આ ગદાને માટીની હાલડી પર અડતા જ ત્યાંથી શિવલિંગ પ્રગટ થયું હતું. ભીમે જ્યાં ગદા મૂકી હતી તેના નિશાન અહી આજે પણ જોવા મળી રહ્યા છે. અને ત્યારથી જ આ મહાદેવના સ્થાને ભીમનાથ મહાદેવ નામ પડ્યું છે.

Next Story