વલસાડ: અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે વિશાળ રેલી નીકળી
BY Connect Gujarat31 Jan 2021 11:13 AM GMT
X
Connect Gujarat31 Jan 2021 11:13 AM GMT
વલસાડ જિલ્લાના હિન્દૂ સંગઠનો અને આર.એસ.એસ.દ્વારા સમર્પણ નિધિ અભિયાન અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.
વલસાડમાં રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત વિવિધ હિન્દૂ સંગઠનો વિશ્વહિન્દુ પરિષદ અને આર.એસ.એસ.દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિથલ બીચથી આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વલસાડના વિવિધ વિસ્તારોમાં રેલી નીકળી હતી અને જયશ્રીરામના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ આ રેલીમાં જોડાઈ અયોધ્યામાં નિર્માણ પામનાર ભાવિ રામ મંદિર માટે સમર્પણ નિધિ આપવા અપીલ કરી હતી.
Next Story