Connect Gujarat
ગુજરાત

વલસાડ : ધરમપુરના નવયુવાનો સેવાભાવના સથવારે, જાણો સોશિયલ મીડિયાને કેમ બનાવ્યું સેવાયજ્ઞનું માધ્યમ

વલસાડ : ધરમપુરના નવયુવાનો સેવાભાવના સથવારે, જાણો સોશિયલ મીડિયાને કેમ બનાવ્યું સેવાયજ્ઞનું માધ્યમ
X

કોરાના માહામારીએ આપણા દેશમાં પગપેસારો કર્યો ત્‍યારથી લોકડાઉન શરૂ કરવામાં આવ્‍યું છે. સમય જતાં લોકડાઉનનો સમયગાળો વધારવો પડ્યો, ત્યારે આવા સમયગાળામાં ગરીબ વર્ગને 2 ટંક ખાવાનું અને જીવનજરૂરીયાતની વસ્‍તુઓ મળી રહે તે માટે વલસાડ જિલ્લામાં અનેક સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, સેવાભાવી દાતાઓ અને વહીવટી તંત્ર દ્વારા કીટોનું વિતરણ કરી પોતાનું ઉત્તરદાયિત્‍વ અદા કરવામાં આવ્યું છે. આવું જ સેવા કાર્ય ધરમપુરના યુવાનો દ્વારા કરવામાં આવ્‍યું. “ઝાઝા હાથ રળિયામણાં”એ કહેવત ધરમપુરના યુવા ટીમ દ્વારા કરવામાં આવી રહેલા સેવાયજ્ઞ થકી સાર્થક બની છે.

કોરાના મહામારીમાં જરૂરીયાતમંદોને સહાયરૂપ બનવા ધરમપુરના માત્ર 10 યુવાઓએ એકત્ર થઇ પોતાના પોકેટ મનીમાંથી સહાય કીટ બનાવી જરૂરિયાતમંદોને તેનું વિતરણ કરવાનું શરૂ કર્યુ છે. જેમાં સહાય કીટ વિતરણ અંગેનો નાનકડો વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. તો વિડિયો જોતાં ઘણા લોકોના સામે પ્રતિભાવો પણ મળતા થયા હતા. અનેક દાતાઓનો સહયોગ સાંપડતો ગયો અને ટીમનું કદ મોટુ થતું ગયું. જરૂરિયાતમંદોને ઉપયોગી બને તેવા સેવાકાર્યને લોકોએ બિરદાવી ખૂબ જ અભિનંદન આપ્યા હતા.

યુવા ટીમના દિલ્‍હાર પટેલ અને ચંદ્રેશ થોરાટે જણાવ્યુ હતું કે, અમારૂ કોઇ ટ્રસ્‍ટ નથી. માત્ર યુવાનો ભેગા મળીને સેવાકાર્ય કરવાનો ઉદેશ છે. આ રાહત કીટ માત્ર જરૂરીયાદમંદોને જ મળી રહે તે માટે ધરમપુર તાલુકાના છેવાડાના ગામોના તલાટીનો સંપર્ક કરી જરૂરીયાતમંદો અને વિધવા બહેનોનું લીસ્‍ટ મેળવવામાં આવ્‍યું અને તેઓને કીટ પુરી પાડવામાં આવી રહી છે. કીટ વિતરણ સમયે લેવામાં આવતા ફોટો કે વિડિયો કોઇ પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયામાં નથી મૂકવામાં આવતા, પરંતુ જે દાતાઓ સહયોગ કરે છે, તેઓને પણ ખબર પડે કે જે દાન કે વસ્‍તુના રૂપમાં આપવામાં આવ્‍યું છે તે જરૂરીયાતમંદો સુધી પહોંચ્‍યું છે. આ ઉપરાંત આ કામગીરીને ધ્‍યાને લઇ અન્‍ય દાતા પણ પ્રેરાય તે મુખ્‍ય ઉદેશ સમાયેલો છે.

Next Story