Connect Gujarat
ગુજરાત

વલસાડઃ ઉમરગામ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું સમાપન

વલસાડઃ ઉમરગામ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું સમાપન
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા મથકે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ ઉમરગામ અને હરિ ઓમ પરિવાર તથા શ્રી અખિલ ભારતીય ઓધવપ્રેમી આયોજિત ધરમપુરના ભાગવતાચાર્ય શરદભાઇ વ્યાસના સાંનિધ્યમાં ચાલી રહેલા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના સમાપન અવસરે વન અને આદિજાતિ વિકાસ રાજ્યિમંત્રી રમણલાલ પાટકરે ઉપસ્થિતત રહી ભગવાન શ્રીકૃણના આશીર્વાદ મેળવ્યા હતા.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ

પાટકરે જણાવ્યું હતું કે, ભાનુશાલી સમાજ એકતાના બીજ રોપી સંગઠિત બની સમાજના વિકાસ માટે સક્રિય રહે

છે, જે અભિનંદનીય છે. સેવાના કામોમાં સતત કાર્યરત રહેતા

સમાજની સેવાભાવનાને તેમણે બિરદાવી હતી. આ અવસરે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળના સભ્યો

સહિત ભાવિક ભક્ત જનો હાજર રહયા હતા.

Next Story