Connect Gujarat
ગુજરાત

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવ્યાં સારા સમાચાર, જાણો મુખ્યમંત્રીએ શું કરી જાહેરાત

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવ્યાં સારા સમાચાર, જાણો મુખ્યમંત્રીએ શું કરી જાહેરાત
X

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં વિદ્યાર્થીઓનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની મર્યાદા 25 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. આ મેનેજમેન્ટ ક્વોટામાં એન.આર.આઈ સહિતના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને અનુદાનિત સંસ્થાની તમામ એટલે કે 100 ટકા બેઠકો સરકારી બેઠકો તરીકેની જોગવાઈ છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની સંખ્યા માટે જોગવાઈ 50 ટકા કરવામાં આવી છે. જેમાં, સ્વનિર્ભર સંસ્થાઓ તેમજ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં પ્રથમવાર 15 ટકા NRI બેઠકો સહિત ઓલ ઈન્ડિયાનાં ધોરણે ગુજરાત સહિતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓનો અને વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

ડિગ્રી ઈજનેરીમાં અંદાજે 73000 બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે ગુજરાતમાં દર વર્ષે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની એ-ગ્રુપની પરીક્ષામાં સરેરાશ 40000 વિદ્યાર્થીઓ પાસ થાય છે જેથી લગભગ 50 ટકા બેઠકો પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે અગાઉથી જ ખાલી રહે છે. રાજયમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં સ્વનિર્ભર સંસ્થાઓની હાલની મેનેજમેન્ટ કવોટાની 25 ટકા બેઠકો ભરવાની જોગવાઈ છે તેમ છતાં ખાનગી સંસ્થાઓમાં અંદાજે 50 ટકા જેટલી બેઠકો છેલ્લા થોડા વર્ષોથી ભરાતી નથી. જેના પરિણામે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની હાલની જોગવાઈ 50 ટકા કરવાથી સ્વનિર્ભર સંસ્થાઓ, ખાનગી યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડથી જ એનઆરઆઈ તેમજ ગુજરાત બહારના વિધાર્થીઓ મેનેજમેન્ટ ક્વોટામાં અરજી કરી શકશે.

આ સંખ્યા વધવાથી વધુ સંખ્યામાં આ ખાલી રહેતી બેઠકો ભરી શકાશે.આ ઉપરાંત પ્રોફેશનલ અભ્યાસક્રમો જેવા કે, એમ.બી.એ., એમ.સી.એ., એન્જીનિયરીંગ, આર્કિટેક અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ ક્વોટાની હાલની 25 ટકા બેઠકોની મર્યાદા વધારીને 50 ટકા કરવામાં આવી છે. વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં કરવામાં આવેલા મહત્વના સુધારાથી હવે રાજયના વિધાર્થીઓને સરળતાથી વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ મેળવીને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે પોતાની કારર્કિદી બનાવી શકશે.

Next Story