રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ચેતવણી : યુક્રેન સાથેના અમારા યુદ્ધની વચ્ચે કોઈ દખલગીરી ન કરે…
રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે આ કાર્યવાહી યૂક્રેનથી આવવાવાળી ધમકીઓના જવાબમાં કરવામાં આવી છે.
રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે આ કાર્યવાહી યૂક્રેનથી આવવાવાળી ધમકીઓના જવાબમાં કરવામાં આવી છે. રુસના રાષ્ટ્રપતિ વ્લામીદીર પુતિને ગુરુવારે યૂક્રેન સાથે યુદ્ધનું એલાન કર્યું છે. તેમણે એલાન કર્યું છે કે રુસ યૂક્રેનમાં સૈન્ય અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. પુતિને દાવો કર્યો છે કે તેઓ ત્યાં રહેવાવાળા લોકોને બચાવવાનો ઈરાદો રાખે છે. ટીવી પર પ્રસારિત પોતાના સંબોધનમાં પુતિને કહ્યું કે આ કાર્યવાહી યૂક્રેનથી આવવાવાળી ધમકીઓના જવાબમાં કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે રુસનો યૂક્ર્રેન પર કબજો કરવાનો કોઈ ઈરાદો નથી. પુતિને કહ્યું કે રક્તપાતની જવાબદારી યૂક્રેન સરકારની છે. પુતિને અન્ય દેશોને ચેતવણી આપી છે કે રુસી કાર્યવાહીમાં હસ્તક્ષેપની કોઈપણ કોશિશનો નતીજો આવો જ હશે, જે તેમણે ક્યારેય જોયો નહી હોય. તેમણે અમેરિકા તથા તેના સહયોગીઓ પર યૂક્રેનના નાટોમાં શામેલ થવાથી રોકવા તથા મોસ્કો સુરક્ષા ગેરંટીની પેશકશ કરવાની રુસની માંગને ઇગ્નોર કએવાનો આરોપ લગાવ્યો છે. રુસી રાષ્ટ્રપતિએ કહ્યું કે રુસી સૈન્ય અભિયાનનો ઉદેશ્ય યૂક્રેનનું ડિમીલીટ્રીરાઈઝેશન સુનિશ્ચિત કરવાનો છે. પુતિને કહ્યું કે હથિયાર મુકવાવાળા બધા યુક્રેની સૈનિક સુરક્ષિત રૂપથી યુદ્ધ ક્ષેત્રની બહાર નીકળવા સક્ષમ હશે