Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા સીએમની હાજરીમાં થઇ પહિંદ વિધિ

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા સીએમની હાજરીમાં થઇ પહિંદ વિધિ
X

અમદાવાદમાં આવેલાં ભગવાન જગન્નાથજી મંદિર ખાતે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના મહેમાનોની હાજરીમાં પહીંદ વિધિ કરવામાં આવી હતી.

મંગળવારે અષાઢી બીજના પાવન અવસરે રાજ્યના સીએમ વિજય રૂપાણી ભગવાન જગન્નાથના મંદિરે પહોંચ્યા હતા અને પહિંદવિધિની પરંપરા નિભાવી હતી. રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ સહિતના મહાનુભવોએ આરતીમાં ભાગ લીધો હતો. સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાય રહે તે માટે એક પણ ભક્તને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતાં.પહિંદ વિધિ દરમ્યાન મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની પરંપરામાં એકમાત્ર ફેરફાર કરવામાં આવ્યો હતો. આ વર્ષે ભગવાનની નગરચર્યા સિવાયની તમામ વિધિઓ કરવામાં આવી હતી. જોકે ભક્તોને ખીચડીનો પ્રસાદ આપવામાં આવ્યો ન હતો.

Next Story