એક શ્રમજીવીનુ થાળીની જગ્યાએ પાવડા પર ભોજન
BY Connect Gujarat27 Jun 2018 11:08 AM GMT
X
Connect Gujarat27 Jun 2018 11:08 AM GMT
પારાવાર ગરીબીની તસવીર સોશ્યલ મીડિયા પર લોકોને હચમચાવી રહી છે
ભારતમાં એક તરફ અમીરીનો ઝગમગાટ છે તો બીજી તરફ દારૂણ ગરીબીનો અંધકાર પણ છે.આજે ય કોરોડો લોકોને પેટ પુરતુ ખાવાનુ મળતુ નથી.
ગરીબીના હચમચાવી નાંખે તેવા ચિત્રને રજુ કરતી એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં એક શ્રમજીવીને પાવડા પર ખાવાનુ ખાતા જોઈ શકાય છે.
તસવીર ક્યાંની છે તે જાણી શકાયુ નથી પણ એ જોતા એવુ લાગે છે કે કોઈ ખેતરમાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ કામ કરનાર શ્રમજીવી છે જેને કોઈએ થાળી કે છેવટે પેપરની જગ્યાએ પાવડા પર જ ખાવાનુ નાંખી આપ્યુ છે.સોશ્યલ મીડિયા પર શેર થઈ રહેલી તસવીર જોઈને લોકો જાત જાતના રીએક્શન આપી રહ્યા છે.
Next Story