Connect Gujarat
Featured

કોરોના મહામારી : રાજ્યમાં આજે 1212 નવા કેસ નોધાયા,14 દર્દીઓના મોત,980 દર્દી થયા સ્વસ્થ

કોરોના મહામારી :  રાજ્યમાં આજે 1212 નવા કેસ નોધાયા,14 દર્દીઓના મોત,980 દર્દી થયા સ્વસ્થ
X

ગુજરાતમાં આજે કોરોનાના 1212 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 14 દર્દીઓના મોત થયા છે.જ્યારે રાજયમાં આજે 980 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 85678 પર પહોચી છે. અને કુલ મૃત્યુઆંક 2883 થયો છે.

રાજ્યમાં આજે 1212 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 157, વડોદરા કોર્પોરેશનમાં 94, જામનગર કોર્પોરેશન 72,સુરતમાં 72, અમરેલી - 67, રાજકોટ કોર્પોરેશનમાં 64, પંચમહાલ 36, ભાવનગર કોર્પોરેશનમાં 35, રાજકોટ-35, ભરુચ-32, વડોદરા-28, મહેસાણા-26, કચ્છ-24, ભાવનગર-23, અમદાવાદ-22, ગીર સોમનાથ-18, આણંદ-16, બનાસકાંઠા-16, જુનાગઢ-16, જુનાગઢ કોર્પોરેશન-16, મોરબી-16, દાહોદ-14, ગાંધીનગર-14, ગાંધીનગર કોર્પોરેશન-13, પાટણ-13, દેવભુમિ દ્વારકા-10, પોરબંદર- 10, ખેડા-9, નર્મદા-9, સુરેન્દ્રનગર-9, તાપી-9, જામનગર-8, મહીસાગર-8, બોટાદ-7, નવસારી-7, સાબરકાંઠા-7, વલસાડ-6, અરવલ્લી-3, છોટા ઉદેપુર-3, ડાંગ-2 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 14 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, જુનાગઢ -2, કચ્છ, 1, પાટણ 1, વડોદરા કોર્પોરેશનમાં 1 નું મોત થયું છે.

રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 67277 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14538 એક્ટિવ કેસ છે, જેમાંથી 85 દર્દી વેન્ટીલેટર પર છે અને 14453 લોકો સ્ટેબલ છે

Next Story