Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે 267 નવા કેસ નોધાયા, 425 લોકોને કરાયા ડિસ્ચાર્જ

કોવિડ-19 : રાજ્યમાં આજે 267 નવા કેસ નોધાયા, 425 લોકોને કરાયા ડિસ્ચાર્જ
X

રાજ્યમાં આજે કોરોનાના 267 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.32 ટકા પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 425 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,55,914 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2641 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર અને 2615 લોકો સ્ટેબલ છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4393 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 267 નવા નોધાયેલ કેસ પૈકી વડોદરા કોર્પોરેશનમાં 72, અમદાવાદ કોર્પોરેશનમાં 44, સુરત કોર્પોરેશનમાં 31, રાજકોટ કોર્પોરેશનમાં 24, વડોદરામાં 10, નર્મદા-9, રાજકોટ-7, જામનગર કોર્પોરેશન-5, કચ્છ 5 અને સુરતમાં 5 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી 490,192 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.

Next Story