Connect Gujarat
ગુજરાત

ગાંધીગીરીના સ્થાને રાજકોટમાં સામે આવી પરિણિતા માધવી ચૌહાણની પ્રભુગિરી

ગાંધીગીરીના સ્થાને રાજકોટમાં સામે આવી પરિણિતા માધવી ચૌહાણની પ્રભુગિરી
X

સામાન્ય રીતે ગુજરાત માટે કોઇ આંદોલન હોઇ કે ઘરણા ગાંધી બાપુના નામને આગળ રાખી ગાંધીગીરી ના કિસ્સા તો અવારનવાર સામે આવે છે.પરંતુ રાજકોટ ખાતે એક પરિણિતા માધવી ચૌહાણે સાસુ અને પતિ ભાર્ગવના ત્રાસથી વાજ આવી ન્યાય મેળવવા કરી પ્રભુગીરી અને ભગવાન શીવ સાંઇના મંદિરે આશરો લીધો હતો.

ઘટનાની મળતી માહિતિ અનુસાર રાજકોટ ખાતે રાધા પાર્કની એકા પરિણિતા માધવીને તેની સાસુ અને પતિ ભાર્ગવ અસહ્ય ત્રાસ આપી તેના પીયરીયા સાથે સબંધ તોડાવી માધવીને ઘરની બહાર કાઢી મુકવાની ઘટના બનવા પામી છે.

જેમાં પરિણિતાએ ગાંધી માર્ગ અપનાવી પ્રભુગીરી કરી છેલ્લા ૩ દિવસથી શિવ સાંઇ ધામ મંદિરના પટાંગણમાં બેસી સાસરીયા જાતે આવીને લઇ જાય તેવી માંગ કરી છે.તેના કહેવા મુજબ તેણી ઉપર તેનો પતિ ભાર્ગવ ચૌહાણ અને તેની સાસુએ તેને ત્રાસ આપી પીયરીયા સાથે પણ સબંધ તોડાવ્યો છે અને માર મારી ઘરની બહાર કાઢી મુકતા ભગવાનના ધામમાં આશરો લીધો છે.

Next Story