Connect Gujarat
ગુજરાત

નોકરીમાં ગેરહાજર રહેતા ઈજનેરને મળેલી નોટિસના જવાબમાં લખ્યું ''હું ભગવાન વિષ્ણુંનો અવતાર છું''

નોકરીમાં ગેરહાજર રહેતા ઈજનેરને મળેલી નોટિસના જવાબમાં લખ્યું હું ભગવાન વિષ્ણુંનો અવતાર છું
X

વડોદરા સ્થિત સરદાર સરોવર નિગમની ઓફિસમાં ઇજનેર તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર ફેફર પોતાની જાતને વિષ્ણુનો અવતાર માનવા લાગ્યા હતા. તેઓ સતત ગેરહાજર રહેતા હોવાથી નિગમે તેમને નોટિસ આપી હતી. તો આ ઇજનેરે નોટિસના જવાબમાં જણાવ્યું કે, હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર છું. તુરીયાતીત (માયાની પેલે પાર બ્રહ્મ સાથે એક થઇ જવાની અવસ્થા) અવસ્થામાં રહી, સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરું છું. આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકું તેમ નથી. જેથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી.

નર્મદાભુવન ખાતે આવેલી સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીમાં (વર્તુળ-1)માં રમેશચંદ્ર એચ. ફેફર અધિક્ષક ઇજનેર તરીકે નોકરી કરે છે. રાજકોટના આઇ.જી.ને જેમ ભગવાન ક્રૃષ્ણની રાધા હોવાની લગણી લાગી હતી. તેમ આ ઇજનેરને પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ હોવાની લગણી અનુભવાય છે. તેઓ ઓફિસમાં આવતા ત્યારે ભગવાન વિષ્ણુના સ્મરણમાંજ દિવસ પસાર કરતા હતા. અને સ્ટાફ સાથે પણ પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ હોવાનું જણાવતા હતા. પોતાની ઓફિસના ટેબલ ઉપર પણ ભગવાન વિષ્ણુના ફોટા રાખ્યા છે.

પોતાને કલ્કિ અવતાર માનતા રમેશચંદ્ર ફેફર તા. 22-9-017 થી નોકરી ઉપર સતત ગેરહાજર રહેતા. નિગમના કમિશનરે તેઓને તા.15-5-018ના રોજ કારણ દર્શક નોટિસ આપી હતી. જે નોટિસના અનુસંધાનમાં ઇજનેર રમેશચંદ્ર ફેફરે તા.17-5-018ના રોજ આપેલા લેખિત જવાબમાં જણાવ્યું કે, હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ છું. હું ઓફિસમાં બેસીને તુરીયાતીત કરી શકું નહિં. આથી હું ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી.

ઇજનેર રમેશચંદ્ર ફેફરે નોટિસના જવાબમાં વધુમાં એમ જણાવ્યું છે કે, હું ભગવાન વિષ્ણુની સાધના કરતો હોવાથી રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. અને ગત વર્ષે મચ્છુ ડેમ ભરાઇ ગયો હતો. કેટલાંક ઇશ્વર વિરોધી તત્વો વરસાદ રોકવાનો પ્રયાસ કરી કરે છે. મારી સાધનાના કારણેજ ગુજરાત દુષ્કાળમાંથી બચી ગયું છે. તા.30-6-2016માં તા.29-6-017ના રોજ વરસાદ નહિં પડે. અને દુષ્કાળ પડશે એવા સંદેશા મોકલ્યા જેને ખોટા પાડવા મેં સાધના કરીને વરસાદ વરસાવ્યો.

આવી સાધના હું ઓફિસમાં બેસીને કરી ન શકુ માટે ઓફિસમાં ભૌતિક શરીરથી હાજર રહેતો નથી. હું ઓફિસમાં બેસીને સમય પસાર કરું એ મહત્વનું છે કે ઘરે રહીને સાધના કરી દેશમાં દુષ્કાળ ન પડે અને સારો વરસાદ થાય એવું વાતાવરણ ઉભું કરવું એ મહત્વનું છે.

છેલ્લા 19 વર્ષના સારા વરસાદને કારણે એમેરીકાના વૌજ્ઞાનિકો એનું કારણ શોધી શકતા નથી. છેલ્લા 19 વર્ષથી દેશમાં સારો વરસાદ કેમ થાય છે? તેનું કારણ હું કલ્કિ અવતાર છું, એટલા માટે રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય છે. તેમ રમેશચંદ્ર ફેફરે નિગમે આપેલી નોટિસના જવાબમાં વધુમાં જણાવ્યું છે.

Next Story