વડોદરા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પીએમ મોદીનાં કાર્યક્રમનો કરાયો વિરોધ

New Update
વડોદરા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પીએમ મોદીનાં કાર્યક્રમનો કરાયો વિરોધ

સરદાર સરોવર નર્મદા ડેમની કામગીરી હજી પુરી નથી થઇ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધૂરા કામનું લોકાર્પણ કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનાં આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. વડોદરામાં કોંગ્રેસનાં કાર્યકરોએ બેનરો સાથે દેખાવો કરી ભાજપ અને મોદી પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આરોપ લગાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનનાં એક દિવસ પહેલાં વડોદરામાં મોદી વિરુદ્ધ દેખાવો યોજાયા હતા. કોંગ્રેસનાં કાર્યકરોએ વડોદરાનાં રસ્તાઓ પર બેનર્સ તેમજ પ્લેકાર્ડસ સાથે દેખાવો કરી નર્મદા ડેમની વાસ્તવિકતા લોકો સમક્ષ રજુ કરવાનો પ્રયાસ કર્યો.

પીએમ મોદી તારીખ 17મી નાં રોજ કેવડીયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે નર્મદા નીરનાં વધામણાં કરી ડેમ રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે નર્મદા ડેમની નહેરોની 41 હજાર કિ.મી.થી વધુ લંબાઇની કામગીરી હજી અધૂરી છે. એવામાં ડેમનું કામ પુરૂ બતાવી તેને પ્રજાને સમર્પિત કરવાનાં નામે ભાજપ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે.

જેથી આ અંગેની પોલ ખોલવા વડોદરામાં કોંગી કાર્યકરોએ પ્રદર્શન કરી ભાજપ અને મોદી પર નર્મદા ડેમનાં નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આક્ષેપ કર્યો હતો.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories