Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલની સૌથી મોટી જાહેરાત : જાણો ૨૫ ઓગષ્ટથી શું કરશે?

હાર્દિક પટેલની સૌથી મોટી જાહેરાત : જાણો ૨૫ ઓગષ્ટથી શું કરશે?
X

હાર્દિક આમરણાંત ઉપવાસ આંદોલન કરશે.જયાં સુધી પાટીદારોને અનામત નહીં મળે ત્યાં સુધી તેઓ આ આંદોલન જારી રાખશે

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દીક પટેલે આજે રવિવારે સોશ્યલ મિડિયામાં લાઇવ થઈ જાહેરાત કરી હતી કે, તેઓ આગામી તારીખ ૨૫ ઓગષ્ટના રોજ થી આમરણાંત ઉપવાસ આંદોલન કરશે. જયાં સુધી પાટીરોને અનામત નહીં મળે ત્યાં સુધી તેઓ આ આંદોલન જારી રાખશે.

પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા હાર્દિક પટેલે આજે જણાવ્યું હતું કે, આગામી ૨૫મી ઓગષ્ટ પાટીદાર ક્રાંતિ દિવસથી હું પાટીદારોને અનામત નહીં મળે ત્યાં સુધી અન્નનો એક પણ દાણો નહીં લઉં. હાર્દિક પટેલે એમ પણ કહ્યું હતું કે, અનામત આંદોલનના કારણે પાટીદારોની સાથે સાથે અન્ય સમાજના લોકોને પણ લાભ થયો છે. અનામત આંદોલનમાં સલાહ કરતા સહયોગ આપવાનિ જરૂર છે. હર્દિક પટેલે દારૂના અડ્ડા પર જનતા રેડ અંગે થતા સવાલો પર પણ જવાબો આપતા જણાવ્યું કે, અનામતની સાથે ખેડૂત અને લોકોના મુદ્દાઓ પર પણ તેઓ લડત આપશે.

વધુમાં હાર્દિક પટેલે એમ પણ જણાવ્યું હતું કે, આઆમી ત્રણ મહિનામાં કોંગ્રેસના ઘારાસભ્ય અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર, અપક્ષ ઘારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણી પણ પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપશે.

Next Story