ભરૂચમાં રાષ્ટ્રપતિના આગમની તૈયારીઓના ભાગરૂપે હેલિપેડનું નિરીક્ષણ કરાયુ
BY Connect Gujarat20 Oct 2016 7:11 AM GMT
X
Connect Gujarat20 Oct 2016 7:11 AM GMT
ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલ અને અંકલેશ્વરમાં સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યુટના ઉદ્દઘાટન પ્રસંગે તારીખ 23મી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પધારશે, તેઓના આગમનની તૈયારીના ભાગ રૂપે જીઆઇડીસી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે હેલિપેડ બનાવવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ હેલપિડેના નિરીક્ષણ અર્થે એરફોર્સ સહિતની નિષ્ણાંતોની ટીમ હેલીકોપટર દ્વારા જીઆઇડીસી હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા. જેના કારણે આસપાસમાં આવેલ શાળા ઓ ના બાળકોએ પણ ચિચિયારીઓ સાથે હેલીકોપટરને નિહાળીને આનંદિત થઇ ગયા હતા, જયારે સૌ કોઈએ પણ આ ઝલકને મોબાઈલના કેમેરે કંડારીને યાદગીરી રૂપી છબી લીધી હતી.
Next Story