બલૂચિસ્તાનમાં આઝાદીના સમર્થકોએ પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. બલૂચિસ્તાનમાં લોકોએ ભારતનો ઝંડો ફરકાવ્યો અને બલૂચિસ્તાનના શહીદ કહેવાતા સ્વર્ગસ્થ નેતા અકબર બુગતીની સાથે મોદીનો ફોટો પણ લહેરાવવામાં આવ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/unnamed-3-8-1024x608.jpg)
એએનઆઇ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ બલૂચિસ્તાનમાં છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શન દરમિયાન ત્રિરંગો ફરકાવવાની સાથે મોદીના ફોટા પણ લહેરાવવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની ઝંડાને પગ તળે કચડી નાંખતો ફોટો પણ શેર કર્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/unnamed-5-6.jpg)
