દીપડાને પાંજરે પૂરવા ગયે વન કર્મી સહીત ત્રણ લોકો પર હુમલો.

ભરૂચ જીલ્લા ના વાલિયા તાલુકાના ગુંદીયા ગામે ખૂંખાર દીપડો દેખાદેતા ગ્રામજનોમાં ભય નો માહોલ સર્જાયો હતો.અને દીપડાને પાંજરે પુરવાની કવાયત વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી હતી,ત્યારે દીપડાએ વનકર્મી સહીત ગામ ના બે વ્યક્તિઓ પર હુમલો કરી ભાગી ગયો હતો.જોકે નરભક્ષી દીપડો પાંજરે ન પુરતા લોકોએ ઉશ્કેરાય જઈને સ્વયં જ દીપડાનાં રામ રમાડી દીધા છે.