Connect Gujarat
ગુજરાત

ઉના દલિત અત્યાચાર મામલો,પાંચ દલિતોએ જાહેરમાં પીધુ ઝેર

ઉના દલિત અત્યાચાર મામલો,પાંચ દલિતોએ જાહેરમાં પીધુ ઝેર
X

ઉનામાં દલિત યુવાનો પર ગુજારેલા અત્યાચાર મામલે આરોપીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં ન લેવાતા પાંચ દલિતોએ જાહેરમાં ઝેરી દવા પી લીધી હતી.

આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો હોવા છતાં પાંચેય દલિતોએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી.

ઘટનાના પગલે પોલીસે અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સરકારી હોસ્પિટલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના સમઢીયાળામાં ચાર દલિતોને કથિત ગૌભક્તોએ બેરહેમીપૂર્વક માર મારતા ચારેય યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Next Story