ભાવનગર : મનપા બિલ્ડિંગના ચોથા માળેથી આધેડે લગાવી મોતની છલાંગ, હચમચાવતી ઘટનાનો "LIVE" વિડીયો સામે આવ્યો...

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા માળેથી એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

New Update
  • ભાવનગર મહાનગરપાલિકા કચેરીની ચકચારી ઘટના

  • બિલ્ડિંગના ચોથા માળેથી આધેડે લગાવી છલાંગ

  • ચોથા માળેથી નીચે પટકાતા આધેડનું મોત નીપજ્યું

  • સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો

  • પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા માળેથી એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર મહાનગરપાલિકાના ચોથા માળેથી એક આધેડનું પટકાતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ ભાવનગર મેયર સહિતના અધિકારીઓનો કાફલો તાત્કાલીક સ્થળ પર પહોંચ્યો હતો, અને મૃતક કોણ છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે જ આધેડ શા માટે મનપા કચેરીએ આવ્યા હતા, તે અંગે પણ ભાવનગર મહાનગરપાલિકા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ, આધેડ વ્યક્તિએ લગાવેલી મોતની છલાંગની ઘટનાનો હચમચાવતો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. જેના આધારે ભાવનગર પોલોસે વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.