ભાવનગર : મનપા બિલ્ડિંગના ચોથા માળેથી આધેડે લગાવી મોતની છલાંગ, હચમચાવતી ઘટનાનો "LIVE" વિડીયો સામે આવ્યો...

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા માળેથી એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

New Update
  • ભાવનગર મહાનગરપાલિકા કચેરીની ચકચારી ઘટના

  • બિલ્ડિંગના ચોથા માળેથી આધેડે લગાવી છલાંગ

  • ચોથા માળેથી નીચે પટકાતા આધેડનું મોત નીપજ્યું

  • સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો

  • પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા માળેથી એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર મહાનગરપાલિકાના ચોથા માળેથી એક આધેડનું પટકાતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ ભાવનગર મેયર સહિતના અધિકારીઓનો કાફલો તાત્કાલીક સ્થળ પર પહોંચ્યો હતો, અને મૃતક કોણ છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે જ આધેડ શા માટે મનપા કચેરીએ આવ્યા હતા, તે અંગે પણ ભાવનગર મહાનગરપાલિકા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ, આધેડ વ્યક્તિએ લગાવેલી મોતની છલાંગની ઘટનાનો હચમચાવતો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. જેના આધારે ભાવનગર પોલોસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે, ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

Advertisment

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

 જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે તેમજ 490 હોમ આઈસોલેશન છે. 72 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

 

 

Advertisment