ભાવનગર : મનપા બિલ્ડિંગના ચોથા માળેથી આધેડે લગાવી મોતની છલાંગ, હચમચાવતી ઘટનાનો "LIVE" વિડીયો સામે આવ્યો...

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા માળેથી એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

New Update
  • ભાવનગર મહાનગરપાલિકા કચેરીની ચકચારી ઘટના

  • બિલ્ડિંગના ચોથા માળેથી આધેડે લગાવી છલાંગ

  • ચોથા માળેથી નીચે પટકાતા આધેડનું મોત નીપજ્યું

  • સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો

  • પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા માળેથી એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર મહાનગરપાલિકાના ચોથા માળેથી એક આધેડનું પટકાતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ ભાવનગર મેયર સહિતના અધિકારીઓનો કાફલો તાત્કાલીક સ્થળ પર પહોંચ્યો હતો, અને મૃતક કોણ છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે જ આધેડ શા માટે મનપા કચેરીએ આવ્યા હતા, તે અંગે પણ ભાવનગર મહાનગરપાલિકા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ, આધેડ વ્યક્તિએ લગાવેલી મોતની છલાંગની ઘટનાનો હચમચાવતો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. જેના આધારે ભાવનગર પોલોસે વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.