અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં યોજાયો કાર્યક્રમ
વેસ્ટ કમ્પોઝટ પ્લાન્ટનું કરાયુ ઉદ્ઘાટન
પ્લાઝમા ટેકનોલોજીની પ્રદર્શની પણ યોજાય
કલેકટર તુષાર સુમેરા રહ્યા ઉપસ્થિત
ઉદ્યોગ અગ્રણીઓએ પણ આપી હાજરી
અંકલેશ્વર જીઆઈડીસીની સંસ્કાર દીપ વિદ્યાલયમાં પ્લાઝમા ટેક્નોલોજી  પ્રદર્શની તેમજ સોલર પેનલ તેમજ વેસ્ટ કમપોસ્ટ પ્લાન્ટનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં આજથી ત્રિદિવસીય પ્લાઝમા ટેક્નોલોજી  પ્રદર્શનીનુ આયોજન હાથ ધરાઈ રહ્યુ છે.
ઘન વાયુ અને પ્રવાહીમાં રહેલા અણુ પરમાણુના અતિ સૂક્ષ્મ કણોમાંથી ઉર્જા ઉત્પાદન કરવાની ટેક્નોલોજી એટલે પ્લાઝમા ટેક્નોલોજી.આગામી વર્ષોમાં તમામ વ્યવસાયિકમાં પ્લાઝમા ટેક્નોલોજી માનવીય ગતિવિધિનો અભિન્ન ભાગ બની રહેવાનો છે ત્યારે ભાવી પેઢીને અવગત કરાવાય તેવા ઉદેશ્ય સાથે યોજાયેલ આ પ્રદર્શનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, ગાંધીનગરની ટીમ દ્વારા વિવિધ મોડેલ્સનુ નિદર્શન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રદર્શિનીનુ ઉદ્ધઘાટન જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ કર્યું હતુ.આ નિમિત્તે શાળા સંકુલમાં સોલર પેનલ તેમજ વેસ્ટ કંપોસ્ટ પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ એન.કે.નાવડીયા,માનદ મંત્રી હિતેન આનંદપુરા,ઉદ્યોગ અગ્રણી અશોક પંજવાણી,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી,પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી, પ્રબોધ પટેલ ઉપરાંત અમી ઓર્ગેનિકના ચેરમેન નરેશ પટેલ, કે પટેલ કેમો ફાર્માના એમ. ડી. જીતેન્દ્ર પટેલ તેમજ સિદ્ધાર્થ ઇન્ટરકેમના ચંદુ કોલડીયા ઉપસ્થિત રહ્યા હતા.