• અંકલેશ્વરમાં આયોજન

  • જુના સક્કરપોર ગામે આયોજન

  • મંદિરનો મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

​અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપુર ગામે આઈ શ્રી ખોડીયાર માતાજી, શ્રી કાલિકા માતાજી તેમજ શ્રી ખત્રીદાદાના નવનિર્મિત મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સમસ્ત આહીર વહરકા પરિવાર દ્વારા આયોજિત આ મંગલ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
​શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર અને પવિત્ર હોમ-હવન સાથે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભક્તોએ મહાઆરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.