ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ભારત) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના કાર્મિક મંત્રાલયે ગુરુવારે એક આદેશમાં આ વાત કહી હતી .

કેબિનેટની નિમણૂક સમિતિએ સુબ્રમણ્યમને મોનેટરી ફંડમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. તેમની નિમણૂક 1 નવેમ્બર, 2022 થી અથવા આગળના આદેશો સુધી ત્રણ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે. તેઓ ડૉ. સુરજીત એસ. ભલ્લાનું સ્થાન લેશે જેમનો કાર્યકાળ 31 ઓક્ટોબર, 2022 સુધીનો છે. ભલ્લાને ત્રણ વર્ષના સમયગાળા માટે મોનેટરી ફંડમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.