• અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • બ્રહ્મકુમારીઝ દ્વારા આયોજન

  • પોલીસ લાઈનમાં આયોજન કરાયું

  • યોગ શિબિરનું આયોજન

  • પોલીસકર્મીઓએ કર્યા યોગાસન 

અંકલેશ્વર પોલીસ લાઈનમાં બ્રહ્મકુમારીઝ દ્વારા રાજયોગ મેડિટેશન શિબિર યોજાઈ જેમા પોલીસકર્મીઓ દ્વારા યોગા કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર પોલીસ લાઇન ખાતે નાયબ પોલીસવડા કુશલ ઓઝા અને બ્રહ્મકુમારીઝ નીમાબેનના માર્ગદર્શન હેઠળ રાજયોગ મેડિટેશન શિબિરનું આયોજન થયું.
શક્તિનગરના પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના બી.કે. મનોજભાઈ દ્વારા અંકલેશ્વર તાલુકાના 6 પોલીસ સ્ટેશનના સર્વ પોલીસ સ્ટાફને રાજયોગ મેડિટેશન દ્વારા તણાવમુક્ત જીવનશૈલી કઈ રીતે અપનાવવી એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.