અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની વિનવાડી ફળિયાના ખુલ્લા સ્થળેથી ભરૂચ એલસીબીએ વરલી મટકાનો જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ૫૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની વિનવાડી ફળિયા પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૧ હજાર અને એક ફોન તેમજ એકટીવા મળી કુલ ૫૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના જુગારી નીરવ અરવિંદ વસાવા,જીતેન્દ્ર વસાવા અને કિરીટ પરમારને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર: સજોદ ગામમાં જુગાર રમતા 3 જુગારીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૧ હજાર અને એક ફોન તેમજ એકટીવા મળી કુલ ૫૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
