ભરૂચ : કોવીડ સ્મશાનમાં 22 મૃતદેહના અંતિમ સંસ્કાર, ચાર મૃતદેહ હજી કતારમાં...

New Update
ભરૂચ : કોવીડ સ્મશાનમાં 22 મૃતદેહના અંતિમ સંસ્કાર, ચાર મૃતદેહ હજી કતારમાં...

ભરૂચના કોવીડ સ્મશાન ખાતે સોમવારના રોજ સાંજે ચાર વાગ્યા સુધીમાં 22 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં જયારે ચાર મૃતદેહ વેઇટીંગમાં હોવાથી તેમને એમ્બયુલન્સમાં જ રાખવામાં આવ્યાં હતાં.


કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ પામતા લોકોની વધી રહેલી સંખ્યાની સામે હવે કોવીડ સ્મશાન પણ નાનુ પડી રહયું છે. જેના કારણે કોવિડ સ્મશાન નજીક ખુલ્લી જગ્યામાં લાકડા ગોઠવી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે. એમ્બયુલન્સ અને શબવાહિનીઓમાં થ્રી લેયર બેગમાં પેક થઇને આવતાં મૃતદેહો સૌ કોઇને રડાવી રહયાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં થી કોરોનાની સારવાર દરમિયાન દમ તોડી રહેલા દર્દીઓને અંતિમ સંસ્કાર માટે કોવીડ સ્મશાન ખાતે લાવવામાં આવી રહયાં છે. ભરૂચમાં સોમવારે બપોરે ૪ વાગ્યા સુધીમાં ૨૨ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા જ્યારે અન્ય હોસ્પિટલોમાંથી આવેલા ૪ મૃતદેહોને એમ્બ્યુલન્સમાં વેઇટિંગ કરવાની ફરજ પડી હતી. ભરૂચમાં કોરોનાના કારણે થતાં મૃત્યુનો આંક વધી રહયો છે ત્યારે જીવીત લોકો માટે સાવચેતી એ જ સલામતી બની ચુકી છે. કોરોનાથી સંક્રમિત થતા બચવા માટે હવે લોકોએ પોતાના ઘરોમાં જ રહેવાની આદત પાડવી પડશે. ભરૂચના કોવીડ સ્મશાન ખાતે પહેલાં જયાં એક કે બે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતાં હતાં ત્યાં હવે રોજના સરેરાશ 20 મૃતદેહો આવી રહયાં છે.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, ગુજરાત સહિત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવતીકાલ, રવિવાર (22 જૂન) માટે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરી છે. ગુજરાત સહિત 13 રાજ્યો

New Update
rain in mumbai

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવતીકાલ, રવિવાર (22 જૂન) માટે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરી છે.

 ખાસ કરીને, ગુજરાત સહિત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, આવતીકાલે મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દક્ષિણ પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, આસામ અને મેઘાલય માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં જળભરાવ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને વાહનવ્યવહારને અસર થવાની શક્યતા છે.

ઉપરોક્ત રાજ્યો ઉપરાંત, હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળ માં પણ ભારે વરસાદની આગાહી જારી કરી છે. આ રાજ્યોમાં પણ લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગ દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

ચોમાસાની આ ગતિવિધિને કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને નદીઓમાં જળસ્તર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા વિનંતી કરવામાં આવી છે.

Latest Stories