ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરીનો સ્લેબ ધરાશાયી થતાં કચેરીને અન્ય સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી.
ભરૂચ જીલ્લા સહીત ઝઘડીયા તાલુકામાં 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ભેજવાળું વાતાવરણ સર્જાતા વર્ષો જૂની ગ્રામ પંચાયત કચેરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. રાત્રિના સમયે આ સ્લેબ ધરાશયી થવાની ઘટના બનતા મોટી જાનહાની ટળી હતી. જોકે, પંચાયતમાં કચેરીમાં કામ અર્થે આવતા અન્ય લોકોને કોઈ જાનહાની ન થાય તે માટે પંચાયત કચેરીને ઝઘડિયા કોમ્યુનિટી હોલ ખાતે સ્થાળાંતર કરવાની ફરજ પડી હતી. જોકે, હાલ પૂરતું ગ્રામ પંચાયત કચેરીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170