ભરૂચ:ભોલાવમા નલ સે જલ યોજનાની મીઠાપાણીની યોજનાનું લોકાર્પણ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ

New Update
ભરૂચ:ભોલાવમા નલ સે જલ યોજનાની મીઠાપાણીની યોજનાનું લોકાર્પણ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ભોલાવમાં યોજાયો કાર્યક્રમ

મીઠા પાણીની યોજનાનો પ્રારંભ

યોજનાનું કરવામાં આવ્યું લોકાર્પણ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અનેક સોસાયટીના રહીશોને મળશે લાભ

ભરૂચના ભોલાવમા નલ સે જલ યોજનાની મીઠાપાણીની યોજનાનું લોકાર્પણ તેમજ રસ્તાનું ખાતમુર્હુત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રસ્તાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભોલાવ ગામના કુલ 8 પૈકી 6 ઝોનની 146 સોસાયટીને મળનાર મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નારાયણકુંજ સોસાયટી થી માધવનગર સોસાયટીને જોડતા અડધા લાખના ખર્ચે બનનાર નોન પ્લાન રસ્તાનું ખાતમુહુર્ત ભરૃચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમન ધર્મેશ મિસ્ત્રીસહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા  

Latest Stories
Read the Next Article

અંકલેશ્વર: GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.83 લાખની કિંમતના 12 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

અંકલેશ્વર GIDC પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.83 લાખની કિંમતના 12 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.

New Update
MixCollage-29-Jun-2025-10-11-AM-1198

અંકલેશ્વર GIDC પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.83 લાખની કિંમતના 12 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.1.83 લાખની કિંમતના 12 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા વર્ષ 2025માં અત્યાર સુધી રૂપિયા 6.43 લાખની કિંમતના 39 મોબાઇલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે  સૌ પ્રથમ ગુગલ પરથી WWW.CEIR.GOV.IN પર જવાનું જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઇ.ડી.મળશે જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.આજ પોર્ટલ પરથી તમે  મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો
Latest Stories