ભરૂચ : મહેદવિયા વિદ્યાભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો...

સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુ:ખાવા માટે મફત તથા રાહતદરે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી

New Update
ભરૂચ : મહેદવિયા વિદ્યાભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો...

પશ્વિમ વિસ્તારની મહેદવિયા વિદ્યાભવન ખાતે આયોજન

સૈયદ કાદરી મેડિકલ - વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

મહેદવિયા વિદ્યાભવન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુ:ખાવાની સારવાર

નિષ્ણાંત તબીબોએ દર્દીઓને આરોગ્ય સેવા પૂરી પાડી

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ મહેદવિયા વિદ્યાભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ મહેદવિયા વિદ્યાભવન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુ:ખાવા માટે મફત તથા રાહતદરે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં 100થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ રશીદ કાદરી તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર, થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • વધુ 4 આરોપીઓની ધરપકડ

  • આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

  • કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા 

  • થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ભરૂચમાં બહાર આવેલ ચમચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી.ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટીયાની ધરપકડ કરી હતી. જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓના  કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રૂપિયા અન્ય કોના કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસ છે તપાસનો ધમમાટ  શરૂ કર્યો છે.
Latest Stories