/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/09112357/2-1.jpeg)
બૌધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજનામાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ અભિગમ રહ્યો છે. જેમાં મનો દિવ્યાંગતાનું ધોરણ ૮૦%થી ઘટાડીને ૭૫% કરી સુધારો કરવામાં આવ્યો છે. તેમજ ‘નેશનલ ટ્રસ્ટ એકટ’ અંતર્ગતની અન્ય 2 દિવ્યાંગતાઓ ઓટીઝમ અને સેરેબલ પાલ્સી એમ બન્ને દિવ્યાંગતાનો પણ આ પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ બૌધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ આ ત્રણેય દિવ્યાંગતા ધરાવતા ૭૫% કે, તેથી વધુ દિવ્યાંગતા હોય તે લોકો લાભ લઈ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઠરાવથી ઉક્ત દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ માસિક રૂપિયા એક હજારનું પેન્શન મેળવવા પાત્ર બનશે. આ યોજનામાં અરજી કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે, તેમજ વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૮-૨૪૨૫૬૦૯ પર અથવા ઇ-મેલ આઇ.ડી. dsdo-bav@gujarat.gov.in પર સંપર્ક કરવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.