ભાવનગર : દિવ્યાંગ વ્યક્તિઓના પેન્શનમાં સુધારા અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઈ, વાંચો વધુ...

New Update
ભાવનગર : દિવ્યાંગ વ્યક્તિઓના પેન્શનમાં સુધારા અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઈ, વાંચો વધુ...

બૌધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજનામાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ અભિગમ રહ્યો છે. જેમાં મનો દિવ્યાંગતાનું ધોરણ ૮૦%થી ઘટાડીને ૭૫% કરી સુધારો કરવામાં આવ્યો છે. તેમજ ‘નેશનલ ટ્રસ્ટ એકટ’ અંતર્ગતની અન્ય 2 દિવ્યાંગતાઓ ઓટીઝમ અને સેરેબલ પાલ્સી એમ બન્ને દિવ્યાંગતાનો પણ આ પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ બૌધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ આ ત્રણેય દિવ્યાંગતા ધરાવતા ૭૫% કે, તેથી વધુ દિવ્યાંગતા હોય તે લોકો લાભ લઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઠરાવથી ઉક્ત દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ માસિક રૂપિયા એક હજારનું પેન્શન મેળવવા પાત્ર બનશે. આ યોજનામાં અરજી કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે, તેમજ વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૮-૨૪૨૫૬૦૯ પર અથવા ઇ-મેલ આઇ.ડી. dsdo-bav@gujarat.gov.in પર સંપર્ક કરવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Latest Stories
Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.

Latest Stories