બિહાર: તેજસ્વી યાદવે માતા અને મોટા ભાઈના આશીર્વાદ લઈને ઉમેદવારી પત્ર ભર્યું, બિહાર માટે લીધા સોગંદ

New Update
બિહાર: તેજસ્વી યાદવે માતા અને મોટા ભાઈના આશીર્વાદ લઈને ઉમેદવારી પત્ર ભર્યું, બિહાર માટે લીધા સોગંદ

બિહાર વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આજે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડીના પ્રમુખ તેજસ્વી યાદવે માતા રાબડી દેવી અને ભાઈ તેજપ્રતાપ યાદવના આશીર્વાદ મેળવી વૈશાલીની રાઘોપુર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યમાં રાજકીય હલચલ ચરમ પર છે અને નેતાઓના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બિહારના વિપક્ષી નેતા અને લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ની લગામ સંભાળનારા તેમના નાના પુત્ર તેજસ્વી યાદવે બુધવારે વૈશાલીની રાઘોપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.

ઉમેદવારી પત્ર ભરવા માટે જતા પહેલાં તેજસ્વી યાદવે તેની માતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબરી દેવીના ચરણ સ્પર્શ કર્યા હતા અને તેમના હાથે દહીં અને ખાંડ ખાઈને નીકળ્યા હતા. એટલું જ નહીં, તેમણે તેમના મોટા ભાઈ અને સમસ્તીપુરની હસનપુર બેઠકના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવનો આશીર્વાદ પણ લીધો હતો.

નામાંકન માટે રવાના થતાં પહેલાં તેજસ્વી યાદવે બિહાર પ્રત્યે લીધેલી પ્રતિજ્ઞાને પણ ટ્વિટર પર પુનરાવર્તિત કરી હતી. ફોટાઓ શેર કરતી વખતે તેમણે લખ્યું, 'મેં વચન આપ્યું છે કે હું હંમેશાં બિહારના હિતમાં કામ કરીશ. જ્યાં સુધી મને દરેક બિહારીઓનો હક નહીં મળે ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો નથી. '

તેમણે આગળ લખ્યું કે, 'આ સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે હું આજે નામાંકન નોંધાવવા જઇ રહ્યો છું. હું પરિવર્તનના આ શંખનાદમાં તમારા સ્નેહ, સમર્થન અને આશીર્વાદની અપેક્ષા કરું છું. લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ સમસ્તીપુરની હસનપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે,જ્યારે તેજસ્વી યાદવ રાઘોપુરથી ચૂંટણી લડી રહ્યા છે.

તેજસ્વીના નામાંકન કરવા જતાં પહેલાં તેમની માતા રાબડી દેવીએ કહ્યું હતું કે માત્ર અમારા પરિવાર જ નહીં પરંતુ આખું બિહાર અને પાર્ટી પણ લાલુ જીને યાદ કરી રહ્યા છે. આ દરમિયાન લાલુ યાદવની તસવીર રાબડી દેવીના હાથમાં જોવા મળી હતી.

Read the Next Article

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે કર્યા નિયુક્ત

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાલિદે 2017માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું.

New Update
aiff

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાલિદે 2017માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું. 13 વર્ષમાં પહેલી વાર કોઈ ભારતીયને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય અને હાલમાં ઇન્ડિયન સુપર લીગ ટીમ જમશેદપુર FCના મેનેજર 48 વર્ષીય જમીલને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ત્રણ સભ્યોની યાદીમાંથી પસંદ કરવામાં આવ્યા છે. અન્ય બે દાવેદારોમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન અને સ્ટેફન ટારકોવિક હતા. સ્ટેફન અગાઉ સ્લોવાકિયા રાષ્ટ્રીય ટીમના કોચ હતા.

મહાન સ્ટ્રાઈકર IM વિજયનના નેતૃત્વ હેઠળની AIFF ટેકનિકલ કમિટીએ એક્ઝિક્યુટિવ કમિટીના અંતિમ નિર્ણય માટે ત્રણ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા. જમીલ સ્પેનના મનોલો માર્કેઝનું સ્થાન લેશે, જેમણે ભારતના તાજેતરના સંઘર્ષો પછી ગયા મહિને AIFFથી અલગ થઈ ગયા હતા. રાષ્ટ્રીય પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપનારા છેલ્લા ભારતીય સેવિયો મેડેઇરા હતા, જેમણે 2011 થી 2012 સુધી આ પદ સંભાળ્યું હતું. નવી ભૂમિકામાં જમીલનું પહેલું કાર્ય સેન્ટ્રલ એશિયન ફૂટબોલ એસોસિએશન (CAFA) નેશન્સ કપ હશે, જે 29 ઓગસ્ટથી તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં રમાશે.

કુવૈતમાં જન્મેલા 49 વર્ષીય ખાલિદ જમીલે ખેલાડી તરીકે (2005માં મહિન્દ્રા યુનાઇટેડ સાથે) અને કોચ તરીકે (2017માં આઈઝોલ એફસી સાથે) ભારતના ટોચના ડિવિઝન ટાઇટલ જીત્યા છે. તેમણે સતત બે વર્ષ (2023-24, 2024-25) માટે AIFF દ્વારા મેન્સ કોચ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો. હવે એ જોવું રોમાંચક રહેશે કે તેઓ ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કેટલું સારું કામ કરે છે. તેઓ ઇન્ડિયન સુપર લીગના પ્રથમ કોચ પણ છે.