Connect Gujarat
ધર્મ દર્શન 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા, 48 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા, 48 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. જોકે, બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા છે. જેની સામે 48 દર્દીઓ સાજા થયા છે અને હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 810 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 805 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,977 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટમાં નવા 15 કેસ સામે આવ્યા છે. સુરતમાં પણ નવા 12 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં નવા 12 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં નવા 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 3 કેસ નોંધાયા છે. આણંદમાં નવા 2 કેસ નોંધાયા છે. ભાવનગરમાં પણ 3 કેસ સામે આવ્યા છે. ત્યારે મહીસાગર અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમરેલી, અરવલ્લી, ભરૂચ, કચ્છ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

Next Story