/connect-gujarat/media/media_files/2JAh5ov7BjghzodqPVbY.png)
આવો જાણીએ નારિયેળના ફળદાયી ઉપાય:
બિઝનેસમાં સમસ્યા દૂર થશે:
જો તમને બિઝનેસમાં કોઈ સમસ્યા હોય તો ગુરૂવારના દિવસે પીળા કપડામાં નારિયેળને લપેટી અને તેના પર જનેઉ રાખીને શ્રી હરિને અર્પિત કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યવસાયમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.
સંકટોથી છૂટકારા માટે:
જીવનમાં આવનાર સંકટોથી છુટકારો મળવવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો અને તેમને લાલ ચોલા ચડાવો. તેનાથી દરેક પ્રકારના સંકટ અને રોગ દૂર થશે એવી માન્યતા છે.
રોગ દૂર કરવા માટે :
રોગને દૂર કરવા માટે નારિયેળનો ઉપાય વધારે લાભકારી સાબિત થઈ શકે છે. નારિયેળને મંગળવાર કે શનિવારે રોગીના ઉપરથી 21 વખત વારીને કોઈ જગ્યા પર મુકી દો. આમ કરવાથી રોગ દૂર થાય છે.અને રાહત મળે છે.
આર્થિક તંગી ઓછી કરવા :
આર્થિક તંગી દૂર કરવા માટે શુક્રવારે લાલ વસ્ત્ર ધારણ કરી માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરો અને ભોગ લગાવો. તેના બાદ નારિયેળને લાલ કપડામાં બાંધીને મંદિરમાં મુકી દો. માનવામાં આવે છે કે તેનાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધન લાભનો યોગ બની રહે છે.અને સુખ શાંતિ બની રહે છે.