આજે છે શીતળા સાતમ.. કેમ સાતમના દિવસે ખાવામાં આવે છે ઠંડો ખોરાક? જાણો શું છે તેનું મહત્વ…

New Update
આજે છે શીતળા સાતમ.. કેમ સાતમના દિવસે ખાવામાં આવે છે ઠંડો ખોરાક? જાણો શું છે તેનું મહત્વ…

આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ગુજરાતમા આગામી 6 અને 7 સપ્ટેમ્બરે બે મોટા તહેવારોની ઉજવણી થાય છે, આ બન્ને તહેવારો સાતમ અને આઠમ છે. ગુજરાતમાં બન્ને તહેવારોનું આગવું મહત્વ રહેલું છે, જાણો તેનું મહત્વ...

પ્રાચીનકાળથી ભારતમાં શીતળા સાતમનું અનેરૂ મહત્વ રહેલું છે.શીતળા સાતમના રોજ માતા શીતળાની પૂજા કરાય છે અને સાથે બળીયાદેવનું પણ પૂજન કરાય છે માન્યતા અનુસાર આ દેવી-દેવતાના પૂજનથી બાળકોના આરોગ્યની સુખાકારી રહે છે વર્ષ પર્યંત શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે

આ વર્ષે ૬ સપ્ટેમ્બર બુધવારના રોજ શીતળા સાતમ ઉજવાશે કેમકે સૂર્યોદય સમયે સાતમ તિથિ છે અને જે બપોરે ૩ વાગે અને 3૭ મિનિટ સુધી રહેવાની છે, માટે આ દિવસે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવશે આ દિવસે ખાસ કરીને શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે, આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા શીતળા ચુલે આળોટવા માટે આવે છે. તેથી બહેનો રસોઈ આગલા દિવસે બનાવી તે જ દિવસે ચુલાને શીતળ અને ઠંડો કરી નાખે છે, ગૃહિણીઓમાં એવું માનવામાં આવે છે કે જો ચૂલો આ દિવસે ગરમ હોય તો શીતળા માતાના રાજ થાય છે તેને કારણે કુટુંબમાં ક્લેશ ઉભો થાય છે બાળકોની તબિયત પણ બગડી શકે છે એવી પણ એક માન્યતા છે, ઘણી બહેનો આ દિવસે માતા શીતળા માતા ને દૂધ, ગોળ, દહીં, શેરડીનો રસ અને ચોખા વગેરેનો ભોગ ધરાવે છે, આ દિવસે બળિયા દેવનું પણ પૂજન કરવાનો મહિમા છે કહેવાય છે કે બળિયા દેવને ઠંડી વસ્તુઓ કુલેર વગેરે પ્રસાદ ધરાવી બાળકોની તંદુરસ્તી માટેની પ્રાર્થના કરાય છે.Fwd: આજે છે શીતળા સાતમ.. કેમ સાતમના દિવસે ખાવામાં આવે છે ઠંડો ખોરાક? જાણો શું છે તેનું મહત્વ…

Latest Stories