વર્ષ 2023માં રાજ્યમાં બદલાશે સ્કૂલ એડમિશન માટેના નિયમો, વાંચો વધુ...

New Update
વર્ષ 2023માં રાજ્યમાં બદલાશે સ્કૂલ એડમિશન માટેના નિયમો, વાંચો વધુ...

હવે નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 1માં તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, જેની ઉંમર 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી 6 વર્ષની હશે. જો તેમા એક વર્ષ ખૂટતું હશે, તો વાલીઓ તેમના બાળકોને પહેલા ધોરણમાં બેસાડવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે. એટલે કે, 2023થી બાળકોના 6 વર્ષ પૂર્ણ હશે તો જ ધોરણ 1માં પ્રવેશ મળશે.

તા. 23 ડિસેમ્બર, 2020ના રોજ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડી રાજ્યની પ્રાથમિક સ્કૂલમાં ધોરણ 1માં પ્રવેશ વય વર્મયાદા 5ના બદલે 6 વર્ષથી કરવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરાઈ હતી. જોકે, આ પરિપત્રનો અમલ કરવામાં આવે તો KGમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે એવી પરિસ્થિતિ સર્જાય તેમ હોવાથી, આનો અમલ 2023-24ના શૈક્ષણિક વર્ષથી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું હતું કે, નર્સરી અને જુનિયર-સીનીયર KGમાં ભણતા બાળકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે. 6 વર્ષની ઉંમર તો શિક્ષણ વિભાગે નક્કી કરી લીધી, પરંતુ તેમાં હજી છૂટછાટની જાહેરાત કરી નથી. જે બાળકોના 6 વર્ષમાં એક-બે દિવસ ખૂટતાં હોય તેમને પણ પ્રવેશ અપાશે નહીં. આ ઉપરાંત વર્ષ 2023-24થી એટલે કે, નવા શૈક્ષણિક વર્ષથી 6 વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ ધોરણ-1માં પ્રવેશ મળશે.

Latest Stories