Connect Gujarat
મનોરંજન 

અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' જશે ઓસ્કારમાં

અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજ જશે ઓસ્કારમાં
X

અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવી હતી. એક સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મને ક્રિટીક્સ તરફથી ઘણી પ્રશંસા મળી છે. જે લોકો ફિલ્મ જોઈને થિયેટરમાંથી બહાર આવ્યા તેઓ પણ તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી.

જો કે, ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ધીમી ગતિએ કમાણી કરી રહી છે. હાલમાં જ અક્ષય કુમારની 'મિશન રાનીગંજ'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 'મિશન રાનીગંજ'ના નિર્માતા અક્ષય કુમારની ફિલ્મને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કારમાં લઈ જઈ રહ્યા છે.

'મિશન રાનીગંજ'ની સ્ટોરી લાખો લોકોને પ્રેરણા આપે છે. અક્ષય કુમારે પોતાની ફિલ્મ દ્વારા દર્શકોને આ સાચા હીરોની કહાની બતાવી કે કેવી રીતે જસવંત સિંહ ગીલે 'રાનીગંજ' કોલસાની ખાણમાંથી 65 મજૂરોને બચાવ્યા હતા. હવે સામે આવેલી માહિતી અનુસાર, આ ફિલ્મના મેકર્સ 'મિશન રાનીગંજ'ને ઓસ્કાર એકેડમીમાં સબમિટ કરશે.

Next Story