જાણો કેમ..? પંકજ ત્રિપાઠીએ ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી રાજીનામુ ધરી દીધું

New Update
જાણો કેમ..? પંકજ ત્રિપાઠીએ ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી રાજીનામુ ધરી દીધું

પંકજ ત્રિપાઠી બોલીવુડના જાણીતા એક્ટર છે પરંતુ તેઓ આજકાલ ખૂબ નારાજ થઈ ગયા છે કારણ કે તેમને રામ મંદિર ઉદ્ધાટનનું આમંત્રણ મળ્યું નથી. આ વાતે તેઓ ખૂબ નારાજ થઈ ગયા અને તેમણે તરત ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાને ઉદ્ધાટનના આમંત્રણ નહીં સાથે જોડવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર 2022માં ચૂંટણી પંચે પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકોન બનાવ્યાં હતા.

રામ મંદિરના અભિષેકની વિધિ ખૂબ જ ભવ્ય થવા જઈ રહી છે. 22મી જાન્યુઆરીના રોજ આયોજિત આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે ફિલ્મ જગતના ઘણા મોટા સ્ટાર્સ હાજર રહેશે. બોલિવૂડ અને સાઉથથી લઈને ટીવી જગતના સેલેબ્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. અનુપમ ખેરને અયોધ્યા રામ મંદિરમાં રામ લાલાના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કંગના રનૌતઆ યાદીમાં કંગના રનૌતનું નામ પણ સામેલ છે. આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આપી છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ આ ભવ્ય સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. તે ઉપરાંત પણ બીજા ઘણા એક્ટર સામેલ છે.

Read the Next Article

મલાઈકા અરોરા કેમ હાજર થઈ કોર્ટમાં? સૈફ અલીના પક્ષમાં આપવાની હતી જુબાની, જાણો મામલો

મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે નવમી જુલાઈ વર્ષ 2012ના બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન સાથે સંકળાયેલા હોટલ વિવાદ કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી અને અભિનેત્રી મલાઈકા અરોરા વિરુદ્ધ ઈસ્યુ કરાયેલા જામીનપાત્ર વોરંટ રદ કર્યા છે. 

New Update
malaika saif

મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે નવમી જુલાઈ વર્ષ 2012ના બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન સાથે સંકળાયેલા હોટલ વિવાદ કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી અને અભિનેત્રી મલાઈકા અરોરા વિરુદ્ધ ઈસ્યુ કરાયેલા જામીનપાત્ર વોરંટ રદ કર્યા છે. 

આ ઉપરાંત અભિનેત્રીનું નામ સાક્ષી તરીકે પણ દૂર કરવામાં આવ્યું છે. મલાઈકા સામે આ જામીનપાત્ર વોરંટ એટલા માટે ઈસ્યુ કરવામાં આવ્યું કારણ કે તે કેસની છેલ્લી સુનાવણીમાં હાજર રહી ન હતી. બુધવારે જ્યારે તે કેસની સુનાવણી માટે પહોંચી ત્યારે કોર્ટે જામીનપાત્ર વોરંટ રદ કર્યું હતું.

આ કેસ 21મી ફેબ્રુઆરી 2012નો છે, જ્યારે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન, પત્ની કરીના કપૂર, બહેન અમૃતા અરોરા, મલાઈકા અરોરા અને અન્ય મિત્રો સાથે એક ફાઇવ સ્ટાર હોટેલમાં ડિનર માટે ગયા હતા. આ દરમિયાન, સૈફ અલી ખાનનો હોટેલમાં હાજર દક્ષિણ આફ્રિકાના નાગરિક અને NRI વ્યક્તિ ઈકબાલ મીર શર્મા સાથે ઝઘડો થયો. ઈકબાલ શર્માએ કોલાબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, 'સૈફ અલી ખાને મારા નાક પર મુક્કો માર્યો હતો, જેના કારણે મને ગંભીર ઈજા થઈ હતી અને ફ્રેક્ચર થયું હતું.' આ ઘટના પછી પોલીસે સૈફ અલી ખાન, તેના મિત્ર બિલાલ અમરોહી અને અમૃતા અરોરાના પતિ શકીલ લડાક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો અને તેની સુનાવણી ગયા વર્ષે શરૂ થઈ હતી.

મલાઈકા અરોરા આ કેસમાં સરકારી વકીલો તરફથી સાક્ષી હતી. માર્ચ 2025માં કોર્ટમાં જુબાની આપવા માટે તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થઈ ન હતા. એપ્રિલમાં ફરીથી સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તે વખતે પણ ગેરહાજરી રહી હતી.

આ મામલે કોર્ટે મલાઈકા સામે 5,000 રૂપિયાનું જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. 30મી એપ્રિલ, 2025ના રોજ કોર્ટે તેમને ચેતવણી આપી હતી કે જો તે હાજર નહીં થાય તો બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવશે. ત્યારબાદ મલાઈકા બુધવારે (નવમી જુલાઈ) કોર્ટમાં હાજર થઈ હતી અને વોરંટ રદ કરવામાં આવ્યું. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.

CG Entertainment | Bollywood | Saif Ali Khan | Malaika Arora 

Latest Stories