માધુરીદીક્ષિતની માતા સ્નેહલતા દીક્ષિતનું 91 વર્ષની વયે અવસાન
માધુરી દીક્ષિતના પિતા શંકર દીક્ષિતનું નવ વર્ષ પહેલાં અવસાન થયું હતું
BY Connect Gujarat Desk12 March 2023 11:12 AM GMT
X
Connect Gujarat Desk12 March 2023 11:12 AM GMT
બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતની 91 વર્ષીય માતા સ્નેહલતા દીક્ષિતનું 12 માર્ચના રોજ સવારે અવસાન થયું હતું. માધુરી દીક્ષિતના ફેમિલી ફ્રેન્ડ રિક્કુ રાકેશનાથે આ અંગે માહિતી આપી હતી. માધુરી તથા શ્રીરામ નેનેએ પણ આ દુઃખદ સમાચાર ચાહકો સાથે શૅર કરીને એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું. નોંધનીય છે કે માધુરી દીક્ષિતના પિતા શંકર દીક્ષિતનું નવ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેમણે કહ્યું હતું, 'અમારી પ્રેમાળ આઇ, સ્નેહલતા દીક્ષિત, આજે સવારે પરિવારની વચ્ચે શાંતિથી પસાર થયા.' મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે વર્લી સ્મશાન ઘાટમાં કરવામાં આવશે.
Next Story