રાજ્યના નવા ડીજીપી માટે ૩ નામો કેન્દ્રમાં મોકલાશે,સંજય શ્રીવાસ્તવનું નામ મોખરે

New Update
રાજ્યના નવા ડીજીપી માટે ૩ નામો કેન્દ્રમાં મોકલાશે,સંજય શ્રીવાસ્તવનું નામ મોખરે

ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની વયનિવૃત્તિ બાદ સરકાર દ્વારા તેમનો કાર્યકાળ લંબાવાયો હતો. ત્યારે આગામી નવા DGP કોણ હશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજ્યના નવા ડીજીપી તરીકે 1987 બેચના IPS અધિકારી અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

રાજ્યના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ સાથે અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર અને અનિલ પ્રથમનું નામ પણ ચર્ચામાં છે. નવા DGP માટે ત્રણ નામોની યાદી કેન્દ્ર માં મોકલવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં ગુજરાતના નવા પોલીસ વડાનું નામ જાહેર થઈ શકે છે. મહત્વનું છે કે, 31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા પદેથી શિવાનંદ ઝાની નિવૃત્તિ બાદ તેમના સ્થાને 1985ની બેચના આશિષ ભાટિયાની નિમણૂક કરાઈ હતી. 1985ની બેચના આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેના રોજ પૂર્ણ થવાનો હતો, જોકે તેમનો કાર્યકાળ લંબાવવાના ગુજરાત સરકારના પ્રસ્તાવ પર સ્વીકૃતિ મળતાં આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયો હતો. આશિષ ભાટિયાનો વધારવામાં આવેલો કાર્યકાળ પણ હવે પૂર્ણતાને આરે છે. ત્યારે ગુજરાતના આગામી રાજ્ય પોલીસ વડા કોણ બનશે એની ચર્ચા પોલીસબેડામાં શરૂ થઈ ગઈ છે

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.