ગુજરાતમાં આજે કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા, 269 દર્દીઓએ કોરોનાના આપી મ્હાત

New Update
ગુજરાતમાં આજે કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા, 269 દર્દીઓએ કોરોનાના આપી મ્હાત

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા છે. જ્યારે 269 દર્દીઓએ કોરોનાના મ્હાત આપી છે. આમ ગઈકાલ કરતા આજે કોરોનાના નવા કેસમાં આશિંક ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે રાજ્યમાં કોરોનાના કેસ 400ને પાર પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં રાજ્યમાં 12,68,563 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

Advertisment

જો આપણ શહેર પ્રમાણે કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 123 સંક્રમિત કેસ નોંધાયા છે જ્યાકે સુરતમાં 32, રાજકોટમાં 23, મોરબીમાં 35, વડોદરામાં 38, જૂનગાઢમાં 2, મહેસાણામાં 25, અમરેલીમાં 7, કચ્છમાં 2, બનાસકાંઠામાં 3, આણંદમાં 9, ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 11, વલસાડમાં 4, જામનગરમાં 2, પોરબંદરમાં 3, સુરેન્દ્રનગરમાં 2, ભરૂચ 8, છોટાઉદેપુરમાં 3, પાટણમાં 1, નવસારી 5 કેસ, દાહોદ 1 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.

Advertisment