ગોધરા ખાતે રથયાત્રાને અનુલક્ષીને પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું
BY Connect Gujarat Desk17 Jun 2023 3:09 PM GMT
X
Connect Gujarat Desk17 Jun 2023 3:09 PM GMT
પંચમહાલ જીલ્લામા આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યુ છે. જેના લઈને જે વિસ્તારમાથી રથયાત્રા નીકળવાની છે. તે વિસ્તારમાંથી પોલીસ વિભાગ દ્વારા ફુટ પેટ્રોલિગ કરવામા આવ્યુ હતુ.
પંચમહાલ જીલ્લાના આગામી સમયમાં રથયાત્રાનુ ભવ્ય આયોજન થઈ રહ્યુ છે. જેને લઈ પોલીસ વિભાગ અત્યારથી સતર્ક બન્યો છે. પંચમહાલ પોલીસ વિભાગના ગોધરા શહેરના એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા રથયાત્રાને લઈ ફુટ પેટ્રોલીગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા પોલીસ કાફલો રથયાત્રાના રુટના વિસ્તારમાં ફર્યો હતો. પોલીસ મથકના પીઆઈ તેમજ પોલીસ જવાનો તેમજ નાયબ જીલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા.
Next Story