રાજ્યની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં, ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ...

ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી.

New Update

ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનું ભવ્ય આયોજન

રથયાત્રા પૂર્વે પારંપરિક ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાય

શાસ્ત્રોક્ત વિધિ સહિત ભગવાનની આંખો પર પટ્ટી બંધાય

અષાઢી બીજના રોજ આંખો પરથી પટ્ટી ખોલવામાં આવશે

નેત્રોત્સવ વિધિ દરમ્યાન મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી. જેમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે ભગવાન જગન્નાથજીબલભદ્ર અને બહેન સુભદ્રાની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. તા. 7 જુલાઈ અષાઢી બીજના રોજ આંખો પરથી આ પટ્ટી ખોલવામાં આવશે અને ભગવાન નગરયાત્રાએ નીકળશે.

આગામી તા. 7 જુલાઈ અષાઢી બીજના રોજ અમદાવાદ બાદ રાજ્યની બીજા નંબરની 39મી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની હોયત્યારે આજે શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી-બલભદ્ર અને બહેન સુભદ્રાની પારંપરિક વિધિ અનુસાર આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે. વાયકા પ્રમાણે ભગવાન જ્યારે તેના મોસાળ ગયા હોય છેત્યારે તે સમયે ત્યાં કેરીજાંબુસિંગ અને ગોળ જેવી અનેક સામગ્રીને આરોગતા તેમની આંખો આવી જાય છેજ્યારે તે તેમના નગરમાં રથમાં પરત ફરે છે,

 ત્યારે તેમની આંખમાં પવન ન લાગે તે માટે તેમની આંખોમાં મધ લગાવી પટ્ટી બાંધવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથજીબલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ઘરે દ્વારિકા પરત ફરે છેઅને ઘરે પરત આવ્યા બાદ અષાઢી બીજના દિવસે આંખો પરની પટ્ટી ખોલવામાં આવે છે. મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રાને નગરયાત્રા કરવાનું મન થતાં ભગવાન જગન્નાથજી અને બલભદ્ર તેને લઇને દ્વારિકા નગરીમાં નીકળે છેજેની ઉજવણી આપણે રથયાત્રા તરીકે કરીએ છીએજ્યારે સાથે રથ પર નીલચક્ર અને હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ નેત્રોત્સવ વિધિ પ્રસંગે રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.